આપણે દરેક ધર્મમાં તેમના ધર્મગુરુની પુણ્યતિથિ જન્મજયંતિ વગેરે ઉજવીએ છીએ. ઘણા લોકોને હવે એ ગમતું નથી. ઘણા વિચારે છે કે આ આરંભ-સમારંભ છે. ઘણા વિચારે છે કે જરૂરી છે. આમ બધા લોકો પોતપોતાના મંતવ્યો રજૂ કરે છે પણ ખરેખર નિષ્ઠાપૂર્વક, શ્રદ્ધાપૂર્વક, સમજપૂર્વક જો કોઈ કામ થતું હોય તો એનો આશય શુભ જ હોય છે. આજે આપણે બુદ્ધજયંતિ, મહાવીર જયંતિ, ગાંધીજયંતિ વગેરે ઉજવીએ છીએ. એ પાછળનું કારણ કે સમય જતાં આપણે આવા મહાન આત્માને ભૂલી ન જઈએ અને આવું બધું નહીં કરીએ તો તેઓને ભૂલી જતા વાર નહીં લાગે, કારણ કે માણસનું મન સમય જતાં બધું જ ભૂલી જાય છે. આપણે ઘેર યુવાનનું મૃત્યુ થયું હોય તો એ પણ ભૂલી જઈએ છીએ, તો ગુરુભગવંતને ભૂલી જતાં શું વાર લાગે?