ઘણાં વર્ષો પૂર્વે મને એક વિચાર આવ્યો હતો કે મંદિર માટે, ઉપાશ્રય માટે, દેવળ માટે, મસ્જિદ માટે લખલૂટ રૂપિયા આપણે દાન આપીએ છીએ. તો સ્મશાન માટે કેમ કોઈ આટલા રૂપિયા આપતા નથી ! સ્મશાન તો ગામમાં એક હોય, મંદિર, મસ્જિદ, ગુરુવાર, ચર્ચ વગેરે તો ઘણા હોય. માટે જો સ્મશાન માટે થોડા ઘણા માણસો દાનમાં રૂપિયા આપવા તૈયાર થાય તો પણ સુંદર મઝાનું સ્મશાન થઈ જાય.