•  

    ૧: ૭૦ - સુવિચાર

    • પુનરાવર્તન બહુ કર્યા
      પરિવર્તન કરવાની જરૂર છે.
      જીવનમાં વાંચન કરવું સારું
      જીવનમાં ચિંતન કરવું બહુ સારું
      જીવનમાં મનન કરવું ઉત્તમ
      જીવનમાં ઉતારવું અતિ ઉત્તમ.
  •  

    ૧: ૭૧ - “શબ્દોની શ્રદ્ધાંજલિ”

    મેં શબ્દોથી આ માળા શ્રદ્ધાની શણગારી છે

    જગત છોડી જનારને શ્રદ્ધાંજલિરૂપે પહેરાવી છે...

  •  

    ૧: ૭૨ - “સ્મશાન એ જ મંદિર”

    ઘણાં વર્ષો પૂર્વે મને એક વિચાર આવ્યો હતો કે મંદિર માટે, ઉપાશ્રય માટે, દેવળ માટે, મસ્જિદ માટે લખલૂટ રૂપિયા આપણે દાન આપીએ છીએ. તો સ્મશાન માટે કેમ કોઈ આટલા રૂપિયા આપતા નથી ! સ્મશાન તો ગામમાં એક હોય, મંદિર, મસ્જિદ, ગુરુવાર, ચર્ચ વગેરે તો ઘણા હોય. માટે જો સ્મશાન માટે થોડા ઘણા માણસો દાનમાં રૂપિયા આપવા તૈયાર થાય તો પણ સુંદર મઝાનું સ્મશાન થઈ જાય.

  •  

    ૧: ૭૩ - કાવ્ય: “ક્યાં ગોતું તને?”

    પ્રભુ ગોતતો હતો તને ગગનની ગહેરાઈમાં

    મળી ગયો તું તો વરસતા વરસાદની ધારમાં

    દેખાય છે તું તો બાળકના આંગળીના ટેરવા પર

    જ્યારે ફરે છે એ “મા”ના ગુલાબી ગાલો પર

  •  

    ૧: ૭૪ - સુવિચાર

    • પુરુષને પરાજિત કરવો હોય તો તેના અહમને પંપાળો અને સ્ત્રીને પરાજિત કરવી હોય તો તેની પ્રશંસા કરો.
    • તમે ત્યાગી ન થાવ તો વાંધો નહીં
  •  

    ૧: ૭૫ - “મૃત્યુ વગર જીવન અધૂરું છે”

    એક વખત એક રાજા તેના ગુરુ પાસે બગીચાનું કામ શીખવા ગયો, કારણ કે એના ગુરુને બગીચા માટેનું બહુ જ જ્ઞાન હતું. બે-ત્રણ વર્ષ સુધી બગીચા માટેનું જ્ઞાન લઈ રાજા પોતાના રાજ્યમાં ગયો. રાજ્યમાં જઈને એક સુંદર બગીચો બનાવ્યો

  •  

    ૧: ૭૬ - સુવિચાર

    • નૃત્ય કરતાં કરતાં નૃત્યકાર થઈ જવાય
      લખતાં લખતાં લેખક થઈ જવાય
  •  

    ૧: ૭૭ - “સાધુવ્યથા”

    ભૂલો પડી ભગવાન એકદિ તું આવજે
    જોઈ દશા અમારી કાંઈક રસ્તો બતાવજે..

  •  

    ૧: ૭૮ - “બગીચાનો બેન્ચ બોલે છે”

    બગીચાના બેન્ચને એક દિવસ એકાએક વાચા ફૂટે છે. “ન જાણે વર્ષો થયા. હું અહીં બગીચામાં બેઠો છું. ન જાણે કેટલાય રંગ જોયા, તડકા-છાંયા જોયા, વરસાદ અને ટાઢ જોઈ, કોયલના મધુર ટહુકા સાંભળ્યા, પ્રેમીઓની પ્રેમગોષ્ઠિ સાંભળી તથા એ જ પ્રેમીઓના ઝઘડાનાં સમાધાન થતાં જોયાં. આ બધું જોઈને હવે હું બહુ થાક્યો એટલે મારી હૈયાવરાળ કાઢવા આજ બે શબ્દ કહેવા તૈયાર થયો છું તો સાંભળો

  •  

    ૧: ૭૯ - સુવિચાર

    • જીતવું હોય તો જીતજે ચાર કષાય ને એક મન
      જન્મારો જતો રહેશે નહીં કામ આવે ધન
  •  

    ૧: ૮૦ - “શું?”

    કલમ જેવી તાકાત નહિ.

    ખાણી-પીણી વગર મહેફિલ નહિ.

  •  

    ૧: ૮૧ - “આજનો યુવાન”

    દીકરો મોટો થયો એટલે એક પતિ-પત્ની ભેગા બેસી એના વિશે વિચાર કરતા હતા. આપણો લાડીલો મોટો થઈને શું થશે?

  •  

    ૧: ૮૨ - સ્તવન

    ગમે તે સ્વરૂપે ગમે ત્યાં બિરાજો

    પ્રભુ મારા વંદન પ્રભુ મારા વંદન..ગમે તે

  •  

    ૧: ૮૩ - “સમજવાની એક વાત”

    ભગવાન મહાવીરે ઉપવાસ એટલે કે અનશનના જેટલા પ્રયોગ કર્યા એટલા આ પૃથ્વી ઉપર બીજા કોઈએ કર્યા નથી. મહાવીરે ૧૨ વર્ષમાં ૧ વર્ષ ભોજન લીધેલ એટલે કે ૧૨ મહિને એક મહિનો એટલે કે ૧૨ દિવસે એક દિવસ.

  •  

    ૧: ૮૪ - “મનુષ્યની કામવાસના શારીરિક છે કે માનસિક?”

    માનવી છોડીને બધા પશુ-પક્ષીની કામવાસના વિશેષ ઋતુમાં જાગ્રત થાય છે. માત્ર માનવી એક એવું પ્રાણી છે જેની કામવાસના આખું વર્ષ જાગ્રત રહે છે.

  •  

    ૧: ૮૫ - “સંત કો સંત મિલે”

    અજ્ઞાની જ્ઞાનીને ભેટી શકે

    અજ્ઞાની અજ્ઞાનીને ભેટી શકે

    જ્ઞાની જ્ઞાનીને ભેટી શકે

    પણ સંત સંતને ભેટી શકે

  •  

    ૧: ૮૬ - “સમૃદ્ધિ છે ત્યાં શાંતિ નથી” “યુનાનનો રાજા”

    એકવાર યૂનાન દેશનો બાદશાહ માંદો પડ્યો. ડૉક્ટરોએ કહી દીધું કે હવે બાદશાહ બચશે નહિ. એ સમયે ગામમાં એક ફકીર આવેલ અને એ ફકીરના આશીર્વાદથી ઘણા બીમાર લોકો સાજા થઈ જતા. મંત્રીને વિચાર આવ્યો કે લાવ આ ફકીરને બોલાવી આવું, મંત્રી ફકીરને ગેમતેમ સમજાવીને મહેલમાં લઈ આવ્યા.

  •  

    ૧: ૮૭ - સુવિચાર

    • જીવન જાણ્યું કે મૃત્યુ મટી ગયું
      મૃત્યુ જાણ્યું કે જીવન શરૂ થયું
  •  

    ૧: ૮૮ - “અહમ્ જાય – કામ થાય”

    એક વખત એક સંત પાસે પાંચ વિદ્યાર્થી ભણવા આવ્યા. એક વર્ષ અભ્યાસ કર્યા બાદ જવાનો સમય થયો. એટલે ગુરુને વંદન કરી બધાએ કહ્યું કે ગુરુદેવ અમો તમને ગુરુદક્ષિણા આપવા માંગીએ છીએ. તમે જે માંગશો એ અમે આપશું.

  •  

    ૧: ૮૯ - સુવિચાર

    • અહંકાર વિલીન થાય છે ત્યારે કશામાં પરિણમતો નથી, કારણ કે એ કેવળ અજ્ઞાન હતું. એની પરિણતિનો કોઈ પ્રશ્ન જ નથી. એ એક માત્ર ભ્રમ હોય છે. જેમ કોઈ અંધકારમાં દોરડાને સાપ સમજી બેસે અને પ્રકાશમાં જુએ છે કે એ એક દોરડું હતું, સાપ હતો જ નહિ. બસ ભ્રમ તૂટે છે. આવી રીતે અહંકાર એક ભ્રમ છે. જયારે એ વિલીન થઈ જાય છે ત્યારે સત્ય સમજાઈ જાય છે.


આ ફક્ત મારા અંગત વિચારો, કવિતાઓ, પ્રાર્થનાઓ, લેખ, ટિપ્પણી, વગેરે છે. કેટલીક માહિતી ઇન્ટરનેટ અને અન્ય સ્રોતમાંથી લેવામાં આવી છે. શક્ય હોય ત્યાં મૂળ લેખક / સ્રોતને શાખ આપવામાં આવી છે. કોઈપણ સ્વીકૃતિ ચૂકી ગઈ હોય તો તે અજાણતાં થઈ છે. આવશ્યક માહિતી / શાખ મળતા સુધારો કરવામાં આવશે.

© Copyright 2026 પ્રેમ અનુરાગી  
Powered by Web InfoTech LLC