૧: ૨૯ - સુવિચાર

  • શાસ્ત્રોની લંબાઈ પહોળાઈ બતાવે તે ગણિતજ્ઞ.
    શાસ્ત્રોની વાતો બતાવે તે પંડિત,
    શાસ્ત્રોની ઉંડાઈ બતાવે તે સાધુ.
    શાસ્ત્રોની ખૂબી બતાવે તે સંત.
  • જે જિંદગીનો થાક ઉતારે તે કથા
    બાકી બધી વિકથા.
  • શિશુ, સંત અને શબ સરખા.
    શિશુના ઝભલામાં ખિસ્સા ના હોય.
    સંતના કપડાંમાં ખિસ્સા ના હોય.
    શબના કફનમાં ખિસ્સા ના હોય.
    શિશુ કંઈ લઈને આવતો નથી એટલે ખિસ્સા નથી હોતા
    સંત સમજે છે કે દુનિયામાં મારું કંઈ નથી એટલે ખિસ્સા નથી હોતા.
    શબ કંઈ લઈને જતું નથી એટલે ખિસ્સા નથી.
  • વખાણ જેવું સંસારમાં કંઈ મીઠું નહિ
    નિંદા જેવું સંસારમાં કડવું નહિ.
  • અને ન સમજાય એવું કંઈ હોય તો માણસનું મન. સેવા જ્યારે વાસનાનું રૂપ ધારણ કરે છે ત્યારે તે ઝેર બની જાય છે. સેવા જ્યારે નિસ્વાર્થપણાનું રૂપ ધારણ કરે છે ત્યારે અમૃત બની જાય છે.