જ્યોત બૂઝાયા પછી કોડિયાને કોણ પૂછે છે?
શ્વાસ તૂટ્યા પછી લાશને કોણ પૂછે છે ?
અત્તર કાઢ્યા પછી ફૂલોને કોણ પૂછે છે?
પાણી પીધા પછી ગ્લાસને કોણ પૂછે છે?
પૈસાવાળાને સૌ કોઈ પૂછે છે,
ગરીબોને “લલિત” કોણ પૂછે છે !
જ્ઞાનીઓને સૌ કોઈ પૂછે છે,
આચારવાન અજ્ઞાનીને કોણ પૂછે છે !
સ્વાર્થ નીકળી ગયા પછી કોણ કોને પૂછે છે,
જવાની નીકળી ગયા ગયા પછી બુઢાપાને કોણ પૂછે છે !